patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday 27 November 2018


ભાવનગર જિલ્લાની તમામ બિનસરકારી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, અધ્યાપન મંદિરોના ડિસેમ્બર ૨૦૧૮નો પગાર બિલનો કેમ્પ શાળા કોડ ૧ થી ૧૦૦નો તા. ૨૮-૧૧-૨૦૧૮ના તથા શાળા કોડ ૧૦૧ થી ૨૦૩નો તા.૨૯-૧૧-૨૦૧૮ના રોજ ધનેશ જે. મહેતા હાઈસ્કૂલ, ક્રેસન્ટ સર્કલ, ભાવનગર ખાતે ૧૧ કલાકથી ૪ કલાક દરમિયાન રાખવામાં આવેલ છે. આ કચેરીના તા.૨૦-૧૧-૨૦૧૮ના પત્ર મુજબ સાતમા પગારપંચના તફાવતના ગણતરી પત્રક મુજબ પ્રથમ હપ્તાની ચુકવણી કરવાની હોય માગ્યા મુજબની માહિતી સાથે પગારબીલ કેમ્પમાં જાણકાર કર્મચારીએ અવશ્ય હાજર રહેવું. વર્ગ-૪ના કર્મચારીઓના બોનસના ડેટા અલગથી રજુ કરવાનું રહેશે.

Monday 26 November 2018

Digital Gujarat Portal પર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાતવર્ગ, લધુમતી, વિચરતી અને વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓની પ્રિમેટ્રીક શિષ્યવૃતિ યોજનાઓની વર્ષ:૨૦૧૮-૧૯ની ઑનલાઇન દરખાસ્તો દરેક શાળાઓએ તા.૩૦-૧૧-૨૦૧૮ પહેલા તાત્કાલિક મોકલવા જણાવવામાં આવે છે.

Thursday 15 November 2018

Tuesday 6 November 2018

નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ ટુ ગર્લ્સ ફોર સેકન્ડરી એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષ માટે બાકી રહેલ શાળાઓ માટે અપ્રુવલ ની અને ભૂલાય ગયેલો પાસવર્ડ રી-સેટની પ્રોસેસ

1)પ્રોસેસ (અહીં ક્લિક કરો)

2) બાકી શાળાઓની યાદી (અહીં ક્લિક કરો)


નેશનલ સ્કીમ ઑફ ઇન્સેન્ટિવ એજયુકેશન સને.ર૦૧૭-૧૮ ના વર્ષની શાળા કક્ષાએ વેરીફીકેશન કરવાની બાકી રહેલ અરજીઓને તે કક્ષાએ વેરીફીકેશનની કામગીરી પૂર્ણ કરવાની મુદત ભારત સરકારશ્રી તરફથી વઘારીને તા.૧૦/૧૧/ર૦૧૮ની કરવામાં આવેલ છે. જેથી સદર મુદત પૂરી  થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન  ઉપસ્થિત થશે અને બાળકને શિષ્યવૃતિ નહીં મળે તેની સધળી જવાબદારી જેતે શાળાના આચાર્યની અંગત રહેશે. હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી

Monday 5 November 2018



છેલ્લી તારીખ તા.૧૦/૧૧/ર૦૧૮

જેથી સદર મુદત પૂરી  થાય તે ૫હેલાં શાળા કક્ષાએ બાકી રહેલ કામગીરી પૂરી કરવા જણાવવમાં આવે છે. આમ ન કરવાથી ભવિષ્યમાં જે કઈ પ્રશ્ન  ઉપસ્થિત થશે તેની સધળી જવાબદારી જેતે શાળાના આચાર્યની રહેશે.  હવે ૫છી મુદત વધારવામાં આવશે નહીં તેની નોંઘ લેવા વિનંતી